માયામાંથી ઊગરવાનો ઈલાજ...
(તા. ૫-૫-૨૦૦૮, સારંગપુર) મંદિરની પ્રદક્ષિણામાં પરદેશના સંતો-પાર્ષદો-સાધકોએ 'મહા બળવંત માયા તમારી' એ સમૂહગાન કર્યું. સ્વામીશ્રી કહે, 'આવરિયા એટલે શું?' એટલું કહેતાં આંગળી ઘુમાવીને કહે, 'બધાને આવરી લે અને જેõ બધે જ હોય એ માયા કહેવાય.' 'એને કાઢવી કઈ રીતે?' કોઈકે પૂછ્યું. સ્વામીશ્રી કહે, 'ભગવાન અને સંતનો આશરો થાય એટલે નીકળે.' સ્વામીશ્રીએ સહજમાં માયાના ભેદી કવચને તોડવાનું રહસ્ય સમજાવી દીધું.