Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

મહિલા સત્સંગમંડળ દ્વારા ભક્તિદિન

મુંબઈના બી.એ.પી.એસ. મહિલા સત્સંગમંડળ દ્વારા તા.૨૮-૯-૦૬ના રોજ ભક્તિદિન ઉજવાયો હતો. જેમાં સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન મહિલામંડળે તૈયાર કરેલી અન્નકૂટની વિવિધ વાનગીઓ ગોઠવવામાં આવી હતી. નવધા ભક્તિના કેન્દ્રવર્તી વિચાર સાથે આજે મહિલાઓ દ્વારા ભક્તિદિનની ઉજવણી થઈ રહી હતી. સ્વામીશ્રીએ અન્નકૂટનાં દર્શન કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ગુરુહરિ પ્રત્યેની ભક્તિના અર્ઘ્ય રૂપે સ્વામીશ્રીના સ્વાસ્થ્ય માટે મહિલામંડળના વિવિધ સભ્યોએ વિવિધ નિયમો લીધા હતા. વળી, મહિલા કાર્યકરોએ સેંકડો નવા મહિલા સત્સંગીઓ કર્યા હતા. આ રીતે સત્સંગમાં ઊંડાણ પ્રાપ્ત કરવાનો વિનમ્ર પ્રયાસ કરીને નવધા ભક્તિ અદા કરી હતી.         

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |