Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ગાંધીનગરમાં સ્વામીશ્રી

ગાંધીનગર ખાતે પાંચ દિવસના નિવાસ દરમ્યાન તા. ૪-૫-૦૭ના રોજ અક્ષરધામ પરિસરમાં સચ્ચિદાનંદ મલ્ટીમીડિયા શૉના સ્થાને રચાયેલ નૂતન પ્રેક્ષાગૃહનું વિધિવત્‌ ઉદ્‌ઘાટન કર્યું હતું. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો ઉદ્‌ïઘોષ કરતી 'મિસ્ટિક ઇન્ડિયા' ફિલ્મનો આ પ્રેક્ષાગૃહમાં પણ સ્વામીશ્રીએ વિધિવતû પ્રારંભ કર્યો હતો. તા. ૬-૫-૦૭ રવિવારનો દિવસ સ્વામીશ્રીના ગાંધીનગર રોકાણનો અંતિમ દિવસ હતો. સવારથી જ દર્શનાર્થીઓની ભીડ જામી હતી. ઘણા હરિભક્તો પદયાત્રા કરીને આવ્યા હતા. આજે સાંજે રવિસભામાં વિવેકસાગર સ્વામીએ પારાયણની પૂર્ણાહુતિ કરી. આવતીકાલે શતાબ્દી નિમિત્તેની પરદેશ ધર્મયાત્રાનો શુભારંભ થવાનો હોઈ સમગ્ર સત્સંગમંડળ વતી વડીલ સંતોએ સ્વામીશ્રીને પુષ્પહાર અર્પણ કરીને અર્ઘ્ય અર્પ્યું હતું. તેમજ સાથે જનાર સંતોને પણ પુષ્પમાલા અર્પણ થઈ. અંતે સ્વામીશ્રીએ સૌ ઉપર અમૃતવચનોની વર્ષા કરીને સૌને કૃતાર્થ કર્યાં હતાં.   

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |