Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ડલાસમાં સ્વામીશ્રીનું સ્વાગત

તા. ૩૧ ઓગસ્ટના રોજ યોજાયેલી સ્વાગતસભામાં સંત પ્રવચન, બાળ-કિશોરોનું નૃત્ય રજૂ થયાં. ડલાસ મહિલા મંડળે એક એક મમરા ઉપર પાંચ પાંચ વાર સ્વામિનારાયણનું નામ લખીને મમરાનો હાર તૈયાર કર્યો હતો. તે વડીલ સંતોએ સ્વામીશ્રીને અર્પણ કર્યો. ડલાસની ૨૧ જેટલી અગ્રણી હિંદુ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સ્વામીશ્રીનું સન્માન  કરીને આશીર્વાદ મેળવ્યા. અંતે સ્વામીશ્રીએ અમૃતોપદેશ આપી સૌને કૃતાર્થ કર્યા. ડેનવરથી સત્સંગમંડળના હરિભક્તો દર્શને આવ્યા હતા. ડેનવર મંડળનાં બાઈભાઈઓએ જ્યાં સુધી મંદિર ન થાય ત્યાં સુધી નિયમિત રીતે વિશેષ માળા કરવાનો નિયમ લીધો હતો. એ બાઈભાઈ હરિભક્તોની નામાવલી તેઓએ સ્વામીશ્રીને અર્પણ કરી. સ્વામીશ્રી પણ તેઓની શ્રદ્ધાથી રાજી થયા અને મંદિર થાય એવા આશીર્વાદ આપ્યા.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |