Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

આગમન

તા. ૧૮-૬-૨૦૧૧ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ભીમપોર (ડુમ્મસ)થી સુલતાનાબાદ કુંજગલીમાં આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી પલસાણા રોડ ઉપર નિર્માણ પામી રહેલા હરિમંદિરે પધાર્યા હતા. અહીં નિર્માણકાર્ય પર દૃષ્ટિ કરી, ઊમટેલા હજારો હરિભક્તોને દર્શનસુખ આપી સાંકરી ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા. પ્રકૃતિમઢ્યા આ મંદિરમાં વિવિધ પશુ-પંખીઓના પરિવેશમાં સજ્જ થઈને બાળકો મંગલ ગીતો સાથે સ્વામીશ્રીને સત્કારી રહ્યા હતા. પરિસરની ચારેબાજુ લહેરાતા શેરડીનાં ખેતરો અને મંદિર પરિસરમાં પણ લીલોતરીનું સામ્રાજ્ય આનંદની અનુભૂતિ કરાવતું હતું. સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીના દર્શન કરીને સંતઆશ્રમમાં પધાર્યા. અહીં સ્વાગતસભામાં કોઠારી પરમિચતન સ્વામીએ હાર પહેરાવી સૌ વતી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. વિવેકસાગર સ્વામીએ પ્રવચન દ્વારા સ્વામીશ્રીના દિવ્ય વિચરણની એક યાત્રા કરાવી. 


 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |