Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સ્વામીશ્રીએ ભારતના ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતને પૂર્વપ્રધાનમંત્રીના સ્વાસ્થ્યની શુભેચ્છાઓ પાઠવી

તા. ૧૩-૭-૨૦૦૫ના રોજ દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે બિરાજમાન સ્વામીશ્રીનાં દર્શનાર્થે ભારતના ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવત ખાસ પધાર્યા હતા.
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરની તબિયત અંગે ઠાકોરજીની વિધિવત્‌ પ્રાર્થના-પૂજાવિધિ માટે ખાસ પધારેલા ઉપરાષ્ટ્રપતિશ્રીએ સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનો દર્શનલાભ લીધો હતો. સ્વામીશ્રીની પ્રાતઃપૂજાવિધિ બાદ પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરજીની તબિયત સારી થાય એ માટે સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં વૈદિક મંત્ર તથા સંકલ્પવિધિ સાથે ઉપરાષ્ટ્રપતિશ્રીએ હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું હતું. છેલ્લે પ્રાર્થનાપૂર્વક ધૂન પણ કરાવવામાં આવી હતી. પૂજા પૂરી થયા પછી સ્વામીશ્રીએ તેમને નાડાછડી બાંધી અને ચાંદલો કરીને પ્રસાદ આપ્યો હતો.
આજે અક્ષરધામના મધ્ય ઘુમ્મટમાં કળશની નીચે મુકાનારા મહાકાય આમલસારામાં ધાતુનો શિલાલેખ મૂકવાનો હતો. અક્ષરધામના હેતુ અને સર્જનની ઐતિહાસિક તવારીખ સાથે હિન્દી અને સંસ્કૃત ભાષાના આ બે શિલાલેખનું પૂજન સ્વામીશ્રીના હસ્તે કરવામાં આવ્યું.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |