Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

યોગીસ્મૃતિ દિન

તા. ૬-૨-૦૯ના રોજ વડોદરા સત્સંગ મંડળે સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોગીદિન ઊજવ્યો હતો. મંદિરના સમગ્ર પરિસરમાં યોગીજી મહારાજનાં પ્રેરક અને મહિમાનાં સૂત્રો વંચાઈ રહ્યાં હતાં. સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શને પધાર્યા ત્યારે પ્રદક્ષિણામાં યોગીજી મહારાજની બોધકથાઓ રજૂ થઈ રહી હતી. નીચે યુવકો 'યોગી આવો તે રંગ મુને' એ કીર્તન ગાઈ રહ્યા હતા. બીજી તરફ આદિવાસી વિસ્તારના ભજનમંડળ ઝાંઝ  સાથે કીર્તનો ગાઈ રહ્યા હતા. સૌથી વિશેષ બાબત તો આજનું તપ-પર્વ હતું. યોગીજી મહારાજને રાજી કરવા આજે સમગ્ર વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના ૧૫૦૦થી વધારે બાઈઓ, ભાઈઓ, યુવકો તથા સૌએ સ્વેચ્છાએ નિર્જળ ઉપવાસ કર્યો હતો. સ્વામીશ્રીએ સૌ પર અપાર પ્રસન્નતા વરસાવી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |