Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

તીર્થધામ સારંગપુરમાં રંગોત્સવની રંગઝડી...

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ તા. ૧૧-૩-૨૦૧૧ના રોજ અટલાદરાથી સૌની ભાવભીની વિદાય લઈ ગોધરા પધાર્યા હતા. તા. ૧૨-૩-૨૦૧૧ના રોજ સવારે સ્વામીશ્રી ગોધરા ખાતે રચાયેલા બી.એ.પી.એસ. શિખરબદ્ધ મંદિરમાં મૂર્તિપ્રાણપ્રતિષ્ઠા કરી મધ્યાહ્‌ને બોડેલી પધાર્યા. અહીં બોડેલી ખાતે રચાયેલા બી.એ.પી.એસ. મંદિરમાં વડીલ સંતો દ્વારા તા. ૭-૩-૨૦૧૧ના રોજ સ્થાપન થયેલી મૂર્તિઓમાં સ્વામીશ્રીએ તા. ૧૨-૩-૨૦૧૧ના રોજ પ્રાણપ્રતિષ્ઠા કરી. આમ, એક જ દિવસમાં સ્વામીશ્રીએ બી.એ.પી.એસ. સંસ્થાનાં બે શિખરબદ્ધ મંદિરોમાં મૂર્તિપ્રાણપ્રતિષ્ઠા કરી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
બોડેલી ખાતેના ચારદિવસીય રોકાણ દરમ્યાન સ્વામીશ્રીએ આજુબાજુનાં ગામોમાંથી ઊમટતા આદિવાસી તેમજ અન્ય હરિભક્તો-ભાવિકોને દર્શન-આશીર્વાદનું અપાર સુખ આપ્યું હતું. તા. ૧૬-૩-૨૦૧૧ના રોજ બોડેલીથી વિદાય લઈ સ્વામીશ્રી હવાઈ માર્ગે તીર્થધામ સારંગપુર પધાર્યા. સારંગપુર ખાતે સ્વામીશ્રીએ તા. ૨૦-૩-૨૦૧૧ના રોજ પુષ્પદોલોત્સવે આપેલ દિવ્ય સત્સંગલાભની ઝાંખી અહીં પ્રસ્તુત છે... 


 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |