Annakut 2007
 

જ્યારે બી.એ.પી.એસ.ની અવિચળતાની વિશ્વને પ્રતીતિ થઈ

બોચાસણમાં મંદિર થયા પછી દરવાજાનું કામ શરૂ કરવાનું હતું, પણ તે માટે જમીનની સંકડાશ ઘણી હતી. તેથી શાસ્ત્રીજી મહારાજે કેટલાક આગેવાનોને વાત કરી કે ''આગળના ભાગમાં વધારે જમીન મળે તો જ દરવાજો થઈ શકે.'' સ્વામીની મરજી સમજી બેચર કીસાએ દરવાજાની જમીન માટે દંડા ભરી આપ્યા. આ જમીનની સરહદ નક્કી કરતી લાકડાની ખૂંટીઓ શાસ્ત્રીજી મહારાજે મરાવી દીધી. પણ આ વાત ગામના ધનજી મતાદારને ન ગમી અને ખૂંટીઓ કાઢવા નીચો વળ્યો ત્યારે સ્વામીએ કહ્યું: ''રહેવા દ્યો, મતાદાર! આ શેષનાગને માથે ખીલી છે!''
પણ આવેશ હંમેશાં આંધળો હોય છે. મતાદારે એક ખૂંટી ખેંચી કાઢી. પરંતુ એ ખેંચેલી ખૂંટીનો અણીદાર ભાગ એક આંગળી લોહીથી ખરડાયેલો જોતાં મતાદારના શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ. તેના હાથમાંથી ખૂંટી પડી ગઈ. મતાદાર સ્વામીનાં ચરણોમાં પડી માફી માંગવા લાગ્યો. તેણે ખૂંટી ફરી જમીનમાં નાંખી દીધી અને સ્વામીએ દરવાજો ચણવાનું કામ ચાલુ કર્યું.
અનેકના મોક્ષદ્વાર ઉઘાડનાર બી.એ.પી.એસ.ના અવિચળ પાયાની ગવાહી પૂરતી આ ઘડી આજે પણ સંસ્થાના ઇતિહાસનું અમરપૃષ્ઠ બની ઝ ગમગી રહી છે.