Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સ્વામીશ્રીના હસ્તે ગઢપુરના ભવ્ય પ્રવેશદ્વારનો શિલાન્યાસ

તા. ૨૯-૦૬-૨૦૦૮ના રોજ સારંગપુર ખાતે પૂજય પ્રમુખસ્વામી મહારાજે, તીર્થરાજ ગઢડાના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારના ખાતમુહૂર્ત માટેના નિધિકુંભનું વિધિવત્‌ પૂજન કરીને શિલાપૂજન કર્યું હતું. સંતોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શ્રી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરીને સ્વામીશ્રીએ ભક્તિભાવપૂર્વક નિધિકુંભનું પૂજન કર્યું ત્યારે સમસ્ત હરિભક્ત સમુદાય વતી મુખ્ય યજમાન હર્ષદભાઈ રાણા(નૈરોબી)ને પણ સાથે જોડ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ અને બ્રહ્મસ્વરૂપ શાસ્રીજી મહારાજના સંકલ્પ અનુસાર નિર્માણ પામી રહેલા આ ઐતિહાસિક પ્રવેશદ્વારના ખાતમુહૂર્તની વિધિ કરીને સ્વામીશ્રીએ ઈષ્ટદેવ અને ગુરુહરિને અર્ઘ્ય અર્પણ કર્યું હતું.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |